જે. સી. કુમારપ્પા મહાવિદ્યાલય ગઢડા

આચાર્યશ્રીની કલમે

ભારત એ કૃષિપ્રધાન દેશ છે. આજે પણ દેશમાં મુખ્ય વ્યવસાય તરીકે કૃષિ અને પૂરક વ્યવસાય તરીકે પશુપાલન કરવામાં આવે છે. ખેતી અને પશુપાલન એ આપણા આર્થિકતંત્રની ધબકતી નસો સમાન છે.

વૈજ્ઞાનિક ઢબે ખેતી-પશુપાલન થાય તથા આ ક્ષેત્રે થતા અવનવા સંશોધનોનું વિસ્તરણ થાય તે અંગેના પ્રયત્નો અમે શિક્ષણ દરમ્યાન કરીએ છીએ, પરંપરાગત જ્ઞાનનું સમન્વય કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ટૂંકમાં કોદાળી સાથે કોમ્પ્યુટરનો સમન્વય કરી શિક્ષણને આધુનિકતા સાથે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. મહદ્અંશે અમે તેમાં સફળ થયા છીએ તેનો આનંદ છે.

- મોહનભાઈ કોટડીયા